ઓમિક્રોનના ખતરા વચ્ચે સ્કૂલો બંધ કરવા અંગે કોઈ નિર્ણય નહીં;CM આજે કેબિનેટમાં સમીક્ષા કરશે
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ અને ક્વોરન્ટાઈન જેવા નિયમો બનાવ્યા છે. બીજીતરફ વાયબ્રન્ટ સમિટ અંગે સરકારે હાલ કોઇ વિચારણા નથી કરી. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓ આગળ વધારી છે. સૂત્રોએ કહ્યું કે વાઇબ્રન્ટ ને લઈને કેન્દ્ર સરકાર તરફથી પણ કોઇ સૂચના મળી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી બે દિવસના દુબઈ-યુએઇના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે આજે બોલાવાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોના ની સ્થિતિ અને ઓમિક્રોનનું સંક્રમણ રોકવા લેવાયેલા તમામ નિર્ણયોની આજે સમીક્ષા કરશે.